I found this in one of the emails I received. Very true and inspiring.
એક પરિવાર છે .. આ પરિવારના લોકો વરચે બહુ ઓછા મતભેદ થાય છે  
આ પરિવારના એક વડીલને કારણ પૂછ્યું . તેણે સરસ વાત કરી .   
એ વડીલે કહ્યું કે , અમારા પરિવારમાં દરેક વ્યકિતને બે વાત શીખવવામાં આવે છે . 
એક , નાના હોય તેને પ્રેમ કરવો . બે , મોટા હોય તેનો આદર કરવો .  
ઘરની દરેક વ્યકિત આ વાત સારી રીતે સમજે છે અને એ રીતે જ વર્તન કરે છે .   
આ બે નિયમથી બધા લોકોની અપેક્ષા સંતોષાઈ જાય છે .   
એ વડીલે કહ્યું કે ઘર હોય કે કામ , જો દરેક વ્યકિતનો રોલ ડિફાઇન હોય તો પછી વાંધો ન આવે . મારે શું કરવાનું છે ? મારી કેટલી જવાબદારી છે ?   
એટલું જો માણસ સમજી જાય તો તેને વધુ મુશ્કેલી પડતી નથી . 
તકલીફો ત્યારે જ ઊભી થાય છે જયારે માણસ બીજાના કામમાં ચંચુપાત કરે છે .  
આપણે મોટા ભાગે બીજાના કામ ઉપર નજર રાખીએ છીએ .   
ઐણે આ ખોટું કર્યું . આવું કરીને એણે યોગ્ય નથી કર્યું .   
બહુ ઓછા લોકો પોતાના કામ ઉપર નજર રાખે છે .   
મેં કર્યું એ બરોબર છે ? હું જે કરું છું એ મને શોભે છે ?   
આ જવાબો જો માણસ મેળવી શકે તો ઘણા બધા સવાલો હલ થઈ જાય . 
આપણે બીજાનો ચોકી પહેરો કરીએ છીએ અને આપણી જાતને રેઢી મૂકી દઈએ છીએ .  
કોઈ કામ નાનું નથી . કોઈ કામ મોટું નથી .   
સમજવા જેવી વાત એક જ છે કે દરેક કામ મહાન છે .   
દરેક કામનું મહત્ત્વ છે અને દરેક કામ જરૂરી છે ..   
એક બોલ્ટ નીકળી જાય તો આખું મશીન તૂટી પડે .   
બોલ્ટ દેખાવમાં ભલે સાવ નાનો રહ્યો પણ તેનું કામ   
બે વસ્તુને જોડી રાખવાનું છે .. આપણે એ બોલ્ટની   
એટલે કે નાના વ્યકિતની કદર કરીએ છીએ ?   
તમારી ઓફિસમાં કે દુકાનમાં જે વ્યકિત નાનાં મોટાં કામ કરે છે   
એ ન હોય તો શું થાય તેનો તમે કોઈ દિવસ વિચાર કર્યોછે ?   
ઘર હોય , નોકરી - ધંધો હોય કે સમાજ હોય , બે વાત યાદ રાખવી જોઈએ .   
એક તો દરેકના કામનો આદર કરો અને બીજું દરેકને પોતાનું કામ કરવા દો .   
સાથો સાથ તમે એ જ કરો જે તમારે કરવાનું છે ..   
અમદાવાદના ભરતકુમાર ભગતે પોતાના જીવનની એક વાત સરસ   
રીતે લખીને ઇ - મેલથી મોકલી છે . આજથી ૧૪ વર્ષ પહેલાની વાત છે .   
ભરતભાઈનો પુત્ર રાજિત બીમાર પડયો .   
ડોકટરે નિદાન કર્યું કે રાજિતને મેનેન્જાઇટિસ છે .   
બીમારીના કારણે રાજિતની આંખો નબળી પડી ગઈ હતી .   
એવો ડર હતો કે કદાચ રાજિતની આંખો કાયમ માટે ચાલી જશે .   
ભરતભાઈ અને તેમનાં પત્ની જાગૃતિબહેન સતત ચિંતામાં રહેતાં હતાં .   
રાજિતને બતાવવા ભરતભાઈ દવાખાને ગયા .   
ખાનગી દવાખાનાના વેઇટિંગ લોન્જમાં બેસી ભરતભાઈ પોતાનો વારો   
આવવાની રાહ જોતા હતા .   
એવામાં એક અપંગ અને અણસમજુ દેખાતો બાળક દવાખાનામાં ઘૂસ્યો .   
તેના હાથમાં અગરબત્તીનાં પેકેટ્સ હતાં . તે બધાને પૂછવા લાગ્યો કે અગરબત્તી લેવી છે ?   
બાળકને જોઈને રિસેપ્શન કાઉન્ટર ઉપર બેઠેલા માણસે રાડ પાડી .   
તું પાછો આવી ગયો ? ચાલ બહાર નીકળ .   
તને ના પાડી છે તો પણ ચાલ્યો આવે છે .   
બહુ ખરાબ રીતે તેણે બાળકને તતડાવ્યો .   
ભરતભાઈએ એ બાળકને પૂછ્યું , તને આટલી ખરાબ રીતે ખખડાવે છે   
તો પણ તું શા માટે અહીં આવે છે ?   
અણસમજુ દેખાતા એ બાળકે મોટી વાત કરી દીધી .   
બાળકે કહ્યું કે , હું મારું કામ કરું છું અને એ તેનું કામ કરે છે .   
મારું કામ છે અગરબત્તી વેચવાનું , એટલે હું અગરબત્તી વેચું છું .   
તેનું કામ છે મને કાઢી મૂકવાનું એટલે એ મને કાઢી મૂકે છે ..   
બાળકે વાત આગળ વધારી . તેણે કહ્યું કે હું અપંગ છું .   
ગઈકાલે મારે ઘરે જવામાં મોડું થયું . ઘરે પહોંરયો ત્યારે મારી મા રડતી હતી .   
મેં તેને પૂછ્યું તો કહ્યું કે , તારી ચિંતા થતી હતી . તને કંઈ થઈ જાય તો ?   
બાળકે તેની માને કહ્યું કે એ કામ તારું નથી .   
તું ઘરનું ઘ્યાન રાખે છે , બધા માટે જમવાનું બનાવે છે .   
તારા બદલે હું જમવાનું બનાવું તો તને ગમે ? ના ગમે ને ?   
મારી ચિંતા કરવાનું કામ ભગવાનનું છે . ભગવાનનું કામ ભગવાનને કરવા દે ને .   
ભગવાનના કામમાં દખલ કરીશ તો ભગવાનને પણ નહીં ગમે !   
ભરતભાઈ કહે છે કે એ બાળક તો આટલી વાત કરીને ચાલ્યો ગયો   
પણ મને આખી જિંદગી કામ લાગે એવો પાઠ શીખવાડી ગયો .   
હું સાવ હળવો થઈ ગયો . મને વિચાર આવ્યો કે   
હું દીકરાની ચિંતા ખોટી કરું છું .. એ મારું કામ નથી .   
મારું કામ તો છે તેને બેસ્ટ ટ્રીટમેન્ટ અપવવાનું ,   
તેનું જતન કરવાનું અને તેને પોતાના દર્દમાં રાહત થાય તેવા પ્રયત્ન કરવાનું .   
હું મારું કામ કરું અને બીજું કામ જેનું છે એના ઉપર છોડી દઉ .   
ભગવાને તેનું કામ કર્યું . ભરતભાઈ અને જાગૃતિબહેન કહે છે   
કે એ બાળકની વાત અમને જીવનનાં ડગલે અને પગલે કામ લાગી છે .   
કર્મના સિદ્ધાંતમાં એક વાત અદૃશ્ય રીતે પણ કહેવામાં આવી છે .   
કર્મ કરશો એટલે ફળ તો મળવાનું જ છે .   
સનાતન સત્ય એ છે કે સારું કામ કરશો તો સારું ફળ મળશે   
અને ખરાબ કામ કરશો તો ખરાબ ફળ પણ મળવાનું જ છે .   
તમારા કામને ઓળખો . તમારા કામને એન્જોય કરો .   
બસ એટલું તપાસતા રહો કે મારે જે રોલ ભજવવાનો છે એ હું સરખી રીતે ભજવું છું કે નહીં ?   
છેલ્લો સીન ઇશ્વરે તમને જેવા બનાવ્યા હોય એ   
કરતાં સહેજ પણ ઊતરતા ન બનવું , એમાં જ તમારું ગૌરવ છે . 
 
 Posts
Posts
 
 
 

 
No comments:
Post a Comment